ResearchBib Share Your Research, Maximize Your Social Impacts
Sign for Notice Everyday Sign up >> Login

'દાંડીકૂચ' એક ઐતિહાસિક સત્યાગ્રહ

Journal: ANSH - JOURNAL OF HISTORY (Vol.1, No. 2)

Publication Date:

Authors : ;

Page : 121-128

Keywords : Dandikooch; Gandhiji;

Source : Download Find it from : Google Scholarexternal

Abstract

વિશ્વના દેશોએ સ્વતંત્રતા પ્રાપ્તિ માટે જે માર્ગ અપનાવ્યો એના કરતાં ભારતે અલગ જ માર્ગ અપનાવ્યો. તેથીજ વિશ્વના ઇતિહાસમાં આ સ્વાતંત્ર્યસંગ્રામ અનોખો ગણાય છે. આઝાદીની જે લડતો ભારતમાં થઈ, તેમાં મહાત્મા ગાંધીજીની ૧૯૩૦ની દાંડીકૂચનું વર્ષ યાદગાર છે. આ પહેલાં સ્વરાજ મેળવવા માટે અનેક લડતો થઈ, પરંતુ દેશનું હીર પ્રગટ કરે અને બ્રિટીશ સલ્તનતના મૂળિયાં હચમચાવી નાખે તેવી લડતો “ મીઠા સત્યાગ્રહ ” ની જ થઈ. ગાંધીજીએ ૮૧ સાથીઓ સાથે અમદાવાદના સાબરમતી આશ્રમથી સુરત જિલ્લાના દાંડી ગામ સુધી પગપાળા ૨૪૫ માઇલનો પ્રવાસ ખેડી અને ત્યાં દરિયા કિનારે ચપટી મીઠું ઉઠાવી, બ્રિટિશ સરકારના આ અન્યાયી કાયદાનો ભંગ કર્યો. અને તે પછી ઘણી જગ્યાએ મીઠાના અન્યાયી કાયદાનો વિરોધ થયો. આજે પણ જેને આ દાંડીકૂચ જોઈ હતી, તેની આંખોમાં યાદ બનીને રહી ગઈ છે. એક મુઠ્ઠી મીઠું ઉઠાવીને આ અન્યાયી કાયદો મહાત્માએ ભંગ કર્યો, એ પણ લોકોના માનસપટ પર અસર કરી ગયો છે. પ્રજામાં ગાંધીજીએ અનેરું સાહસ અને ચેતના પ્રગટાવી, આ ચેતનાએ બ્રિટીશ સરકાર સામે બાથ ભીડી, અને એ આવનાર દિવસોમાં આઝાદીના સ્વરૂપમાં જોવા મળી. એક હાડપિંજરના દૂબળા પાતળા વ્યક્તિએ પોતાનું સામર્થ્ય દાંડીકૂચના રૂપ માં બતાવ્યું.

Last modified: 2020-06-04 18:25:27